લોકસભા ચૂંટણીઓ પહેલા છત્તીસગઢમાં ફરી એક વાર મોટો નક્સલવાદી હુમલો થયો છે. મંગળવારે
સુકમા જિલ્લાના ઝીરમ વિસ્તારમાં થયેલા આ હુમલામાં કુલ ૧પ લોકોનાં મોત
નીપજ્યાં છે. નક્સલી હુમલામાં ૧પ જવાનો શહીદ થઈ ગયા છે, જેમાં ૧૧ સીઆરપીએફ
અને ચાર રાજ્ય પોલીસના જવાનો છે. હુમલા દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થઈ
તોંગપાલ અને ઝીરમ ગામની વચ્ચે નેશનલ હાઇવેનુ કામ ચાલી રહ્યું છે. તાકબાદા
ગામની પાસે ગાઢ જંગલોમાં નક્સલવાદીઓએ પહેલા સુરંગ વિસ્ફોટ કરીને ટીમને આગળ
વધતા અટકાવી. બાદમાં ચારેય બાજુથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે
પણ જવાબી ગોળીબાર કર્યો. નક્સલવાદીઓ અને પોલીસની વચ્ચે સંઘર્ષ બે કલાક સુધી
ચાલ્યો READ MORE
No comments:
Post a Comment