Monday, October 7, 2013

રાજ્યમાં 'રામલીલા’નો વિવાદ વકર્યો, સાંજે ભણસાલીનું પૂતળાદહન


ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ 'રામલીલા’ પ્રદર્શિ‌ત થાય તે પહેલાં જ ગુજરાતમાં વિવાદ ઊભો થયો છે. રામલિલા  ફિલ્મની પટકથા અને  દ્રશ્યો સામે વાંધો દર્શાવી રાજપુત સમાજ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહીત અરજી કરાઇ છે જયારે સાંજે અમદાવાદમાં આશ્રમરોડ સ્થિત સીટી ગોલ્ડ સિનેમા પાસે વિરોધ પ્રદર્શન કરવા આયોજન કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં રાજપુત સમાજના અપમાનજનક દ્રશ્યોને લઇને ગુજરાતના રાજપુત સમાજમાં ભારે વિરોધ છે પરિણામે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. જોકે ફિલ્મની વિરુદ્ધમાં કચ્છ, ભાવનગર અને  રાજકોટમાં બે દિવસથી ધરણાં-પ્રદર્શન શરૂ થઈ ગયાં છે. ગુજરાતના રાજપૂતો અને રબારી જ્ઞાતિ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ  કચ્છ અને રાજસ્થાનમાં કરાયું છે.
For at visit@- http://www.divyabhaskar.co.in/gujarat/

No comments:

Post a Comment