Saturday, April 5, 2014

ગુજરાત સાથે મારો જૂનો નાતો, મોદી બનશે વડાપ્રધાન: અડવાણી

લોકસભાની ગાંધીનગર બેઠકનાં બીજેપીના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ આજે ગાંધીનગર કલેકટર કચેરીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. આ પહેલા તેમણે કોબા ખાતે કાર્યકરોને સંબોધ્યા હતા જ્યા તેમણે મોદીના ભરપુર વખાણ કર્યા હતા. બીજી તરફ મોદીએ પણ અડવાણીનું ભાજપમાં ખુબ મોટું સ્થાન હોવાનું જણાવ્યુ હતુ.

લાલકૃષ્ણ અડવાણી ફોર્મ ભરવા માટે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યા પત્રકારોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડું છું એટલે ગાંધીનગર સાથે મારો સંબંધ છે, એવું નથી. મારો ગુજરાત સાથે જૂનો નાતો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડવા માટે પહેલેથી રાજી હતો. સ્વેચ્છાએ ચૂંટણી લડી રહ્યો છું. મારો પરિવાર પણ ખૂશ છે.

No comments:

Post a Comment