Friday, April 4, 2014

દિલ્હીમાં કેજરીવાલને પડી થપ્પડ : અમુક લોકો વડાપ્રધાન બનવા માટે ગમે તે કરશે, વળતો વાર

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો છે. નવી દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમને થપ્પડ મારી દીધી હતી. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પોલીસ દ્વારા કેજરીવાલ પર હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'અમારા પર હુમલાઓ થવા દો, અમે કોઈ પ્રતિકાર નહીં કરીએ. અમુક લોકો વડાપ્રધાન બનવા માટે ગમે તે કરશે'.
ચૂંટણી પ્રચારમાં જોડાયેલા અરવિંદ કેજરીવાલ દક્ષિણ દિલ્હીમાં રોડ શો કરી રહ્યા હતા, ત્યારે પર હુમલો થયો હતો. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ પૂર્વ દિલ્હીમાં એક રોડ શો દરમિયાન કેજરીવાલ પર હુમલો થયો હતો. તો બીજી તરફ શ્રી શ્રી રવિશંકરે પણ તેમના પર શાબ્દિક પ્રહારો કરતા ટ્વિટર પર લખ્યું છે કે તેઓ ખૂબ જ મહત્વકાંક્ષી છે, તેમજ દેશની રાજનીતિમાં સફળ થવા માટે જ તેમણે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું.

કેજરીવાલ શુક્રવારે દક્ષિણપુરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર સેહરાવતના પ્રચાર માટે પહોંચ્યા હતા. દેવેન્દ્રનું કહેવું છે કે હુમલાખોરે કેજરીવાલની ગાડી પર પણ ચડવાનો પ્રયાસ કર્યો હતો.નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ વારાણસીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ પર ઈંડા અને શાહી ફેંકવામાં આવી હતી.

શ્રી શ્રી રવિશંકરે કેજરીવાલ પર મુકેલા આરોપો અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો

No comments:

Post a Comment