દિલ્હીમાં ઘરે-ઘરે દરરોજ 700 લીટર પાણી મફત અને ચાર મહિનામાં વીજળીના ભાવ
અડધા કરી આપવાના નવોદિત આમ આદમી પાર્ટીના દાવાઓનું વિરોધી પાર્ટીઓ ખંડન
કરવાની સાથે-સાથે તેની મજાક ઉડાવી રહી છે. વિરોધી પાર્ટીઓ માની રહી છે કે
આપ આમ કહીને માત્ર ફેંકી રહી છે. કેજરીવાલે સરકાર બનાવવાની જાહેરાત કરી તે જ
દિવસે શિલા દીક્ષિતે પણ કહ્યું હતું કે જોઈએ છે કેવી રીતે પૂરા કરે છે
વચનો. કારણ કે તેમના મતે કેજરીવાલે જે પ્રકારના સપના દિલ્હીવાસીઓને બતાવ્યા
છે તે પૂરા કરવા શક્ય નથી.
No comments:
Post a Comment