Thursday, January 2, 2014

‘આપ’ની સરકાર : વિશ્વાસમત પર ચર્ચા શરૂ, પાંચ વાગે થશે ફેંસલો

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલવાળી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર નવીદિલ્હીની વિધાનસભામાં વિશ્વાસમત મેળવશે. સાંજે પાંચ કલાકે મતદાન થશે. અલ્પમતની સરકાર અંગે અનિશ્ચિતતા અને કોંગ્રેસના ધારાસભ્યોને સમર્થનથી વિશ્વાસમત મળી જશે તેવી આપને આશા છે. કોંગ્રેસે તેના ધારાસભ્યોને વ્હિપ નથી આપ્યું. જ્યારે ભાજપે તેના ધારાસભ્યોને વ્હિપ આપ્યું છે. વ્હિપએ પાર્ટીના ધારાસભ્યોને આપવામાં આવતો એવો આદેશ છે, જેમાં તેમને ગૃહમાં હાજર રહેવા માટે નિર્દેશ આપવામાં આવે છે. સામાન્ય રીતે વિશ્વાસના મત વખતે અથવા તો એવા જ કોઈ મહત્વ
પૂર્ણ બાબતે આ પ્રકારના નિર્દેશ આપવામાં આવે છે.

No comments:

Post a Comment