Saturday, January 11, 2014

હો ગયા સો હો ગયા', રાજકોટમાં ખુલ્લી તલવારો ફરી મ્યાન થઈ

રાજકોટના રૈયારોડ પર શુક્રવારે બપોરે ધર્મનું બોર્ડ મુકવાના મુદ્દે ભારે કોમી તંગદિલી પ્રસરી હતી. તંગદીલીનાં બનાવની વાત વાયુવેગે ફેલાઇ જતાં બન્ને જૂથના મોટી સંખ્યામાં ટોળા એકઠા થઇ ગયા હતા. થોડી જ વારમાં બંન્ને ટોળાઓ ઘાતક હથિયારો સાથે આમને સામને આવી જતાં વાતાવરણ સ્ફોટક બની ગયું હતુ. જેને પગલે રૈયા રોડ પર પોલીસનાં ધાડા ઉતારી દેવાયા હતા. જોકે, અમુક તત્વોએ પોલીસની હાજરીમાં પણ હોહા દેકારો કર્યો હતો. તેમ છતાં પોલીસે ધૈર્યથી કામ લઇ વાતાવરણને શાંત કરવાનાં પ્રયાસ શરૂ કર્યા હતા

No comments:

Post a Comment