સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયા ખાતે યોજાનારા
શિલાન્યાસ સમારોહમાં મોદી અને અડવાણી એક મંચ પર હાજર રહેશે. મોદીને
વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ નારાજ થયેલા અડવાણીને મનાવી
લેવામાં મોદી સફળ રહ્યા છે. થોડા દિવસો અગાઉ અમદાવાદમાં વિકાસ કામોના
લોકાર્પણ પ્રસંગે પણ અડવાણી હાજર રહ્યા હતા અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના
શિલાન્યાસ પ્રસંગે તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના છે.
સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ નજીક મુખ્યમંત્રીના હસ્તે અડવાણીની વિશેષ ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ સમારોહ યોજાશે. આ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળા અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ પણ હાજરી આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે દેશભરનાં ગામોમાંથી ખેડૂતોના ઓજાર એકત્રિત કરવાનું અભિયાન પણ આ જ દિવસથી શરૂ કરાશે.
આ અંગે વધુ વાંચવા માટેત સવીર પર ક્લિક કરોઃ
સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ નજીક મુખ્યમંત્રીના હસ્તે અડવાણીની વિશેષ ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ સમારોહ યોજાશે. આ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળા અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ પણ હાજરી આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે દેશભરનાં ગામોમાંથી ખેડૂતોના ઓજાર એકત્રિત કરવાનું અભિયાન પણ આ જ દિવસથી શરૂ કરાશે.
આ અંગે વધુ વાંચવા માટેત સવીર પર ક્લિક કરોઃ
No comments:
Post a Comment