Monday, October 28, 2013

પટણા બ્લાસ્ટના સંદિગ્ધનું મોત, કરાચીમાં ઘડાયું હતું નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું!

ઈમ્તિયાઝની ચોંકાવનારી કબુલાતો,વિસ્ફોટો પાછળ આઈએમનો હાથ
 
બિહારમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલી દરમિયાન રવિવારે પટણામાં સાત વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોમાં છ લોકોના મોત થયા હતાં જ્યારે 83 અન્યો ઘાયલ થયા છે. તેમાંથી 12ની સ્થિતિ ગંભીર છે. દરમિયાન પટણા પોલીસને ચાર જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે. દરમિયાન સારવારમાં ઐનુલ નામના એક સંદિગ્ધનું મોત થયું છે. 
 
સ્ટેશન પર વિસ્ફોટો બાદ અહીં ટ્રેનોની અવરજવરને અટકાવી દેવાઈ હતી. તપાસ માટે એનઆઈએ તથા એનએસજીની એક ટીમ પટણા પહોંચી છે. ઈજાગ્રસ્તોને પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે અગાઉથી જ આ પ્રકારના વિસ્ફોટોની ચેતવણી આપી હોવાનું કહેવાય છે.
 

No comments:

Post a Comment