બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
મતવિસ્તાર વારાણસીમાં સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ
દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને મીડિયાવાળાઓ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ
હતી. ઉપસ્થિત સુરક્ષા કર્મચારીઓએ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બાદમાં અમિત શાહ ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી.
શાહે મંગલાચરણ અને ગણેશ પૂજન બાદ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ
પ્રસંગે ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી સહિત પાર્ટીના
અનેક નેતાઓ હાજર હતા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શિવશરણ પાઠકને આ
કાર્યાલયના પ્રભારી બનાવવામાં આવ્યા છે. Read More..
No comments:
Post a Comment