ભારે વરસાદ અને પૂરને કારણે ઉત્તરપ્રદેશ બાદ બિહાર અને આસામમાં પણ સ્થિતિ
વણસી ગઈ છે. ત્રણેય રાજ્યોના ૩૭ જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. કુલ ૧૩ લાખ લોકો
અસરગ્રસ્ત થયા છે. મરણાંક ૨૮થી વધીને પ૦નો થયો છે.
ઘણાં રાજ્યોમાં એનડીઆરએએફની ટીમોએ કમાન સંભાળી લીધી છે. નેપાળના બરાજો
ખાતેથી ૧૦ લાખ ક્યુસેક પાણી છોડાયા બાદ ઉત્તરપ્રદેશની રાપ્તી અને ધાધરા
નદીઓમાં જળસ્તર વધ્યું છે. રાપ્તીનું જળસ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. Read More...
No comments:
Post a Comment