કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારમાં
ડૂબેલા આરટીઓને બંધ કરવામાં આવશે. તે પછી મોટા ભાગનું કામ ઓનલાઈન કરવામાં
આવશે. ગડકરીના આ નિવેદન બાદ એક નવી ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે.
આ નિર્ણય લેવાઇ જશે ત્યારે ગુજરાતમાં જ 45 જેટલી કચેરીઓને એક સાથે તાળાં
વાગી જશે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ કમિશનરથી માંડી સરહદી ચેકપોસ્ટ સુધી
આખું નેટવર્ક છે. દરેક જિલ્લામથકે એક આરટીઓ કચેરી છે. સાથે જ, મલાઇદાર
ગણાતી આ નોકરીને પણ બ્રેક વાગી જશે એવું લોકો માની રહ્યાં છે.
No comments:
Post a Comment