દેશભરમાં 68 સ્વતંત્રતા દિવસની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. દેશમાં જુદા
જુદા શહેરોમાં સ્વતંત્રતા દિવસ સમારોહના કાર્યક્રમોની ફાઈનલ રિહર્સલ પણ થઈ
રહી છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર લાલ કિલ્લા પરથી લોકોને સંબોધન કરશે.
બધી તૈયારીને મજબૂત કરવા માટે બુધવારે લાલ કિલ્લા પર ફુલ ડ્રેસ રિહર્સલ
કરવામાં આવી હતી. તદ્દઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસવામાં આવી હતી.
રિહર્સલ વખતે વિદ્યાર્થીઓએ તિરંગાના ત્રણે રંગોથી 68નો આંક બનાવ્યો હતો.
No comments:
Post a Comment