નરેન્દ્ર મોદી સરકારે તેના પ્રથમ બજેટમાં અપેક્ષા પ્રમાણે મોટી-મોટી
જાહેરાતો કરી ન હતી. તમામ મંત્રાલયોને તા. 10મી સુધીમાં પ્રસ્તાવો પર કામ
કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત તા. 14મી ઓગસ્ટ બાદ પ્રધાનમંડળમાં
વિભાગોનું વિતરણ થાય તેવી પણ શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના
સાંસદોની સાથે મુલાકાત કરી હતી.
કેબિનેટ સચિવ અજીત શેઠે સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો ને બજેટ
પ્રસ્તાવો પર કામ કરવા તાકિદ કરી છે. તા. 10મી ઓગસ્ટ સુધીમાં નક્કર અહેવાલ
આપવા કહ્યું છે. જેથી તા.15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર
મોદી જ્યારે લાલકિલ્લા પરથી પ્રજાજોગ સંબોધન કરે ત્યારે નક્કર અહેવાલ આપી
શકે. Read More..
તમામ વિભાગો પર નજર
No comments:
Post a Comment