Thursday, July 24, 2014

ટ્રેનની ટક્કરે બસ 200 ફૂટ દૂર સુધી ફંગોળાઇ, 25 બાળકોનાં મોત

આજે સવારે તેલંગણામાં માનવ રહિત રેલવે ક્રોસિંગ પાસે 40થી 50 બાળકોને લઇ જતી એક સ્કૂલ બસ ટ્રેન સાથે ટકરાતા 25 બાળકો અને ડ્રાઇવર સહિત 26 જણાંના મોત થયા છે, જ્યારે અન્ય 20 જણા ગંભીરપણે ઘાયલ થયા છે. નજીકનાં ટૂપરનમાં આવેલી કાકટિયા સ્કૂલની આ બસ રાજ્યનાં મેડક જીલ્લાનાં મસાઇપેટ ગામ નજીકનાં રેલવે ટ્રેકને પાર કરી રહી હતી ત્યારે સામેથી આવતી નાંદેડ-સિકંદરાબાદ પેસેન્જર ટ્રેને બસને ભયાનક ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી હતી. ટ્રેનની જોરદાર ટક્કરને લીધે બસ 200 ફૂટ દૂર સુધી ફંગોળાઇ હતી.દુર્ઘટના સવારે 9.20 વાગ્યાની આસપાસ ઘટી હતી
ટ્રેનની ટક્કરે બસ 200 ફૂટ દૂર સુધી ફંગોળાઇ, 25 બાળકોનાં મોત
સ્કૂલ હૈદરાબાદથી 100 કિમીનાં અંતરે આવેલી છે. અધિકારીઓને ભય છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. તેમનું માનવું છે કે ટ્રેનનાં આગમનની ચેતવણી જારી કરાયા છતાં ડ્રાઇવરે રેલવે ટ્રેકને ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. Read More..

No comments:

Post a Comment