બાલટાલ બેઝ કેમ્પમાં શુક્રવારના ઉપદ્રવને કારણે અમરનાથ યાત્રાને અટકાવી
દેવામાં આવી છે. બેઝ કેમ્પમાં કથિત છેડતી બાદ લંગરવાળાઓ (શ્રદ્ધાળુઓને
જમાડનારાઓ) અને ઘોડાવાળાઓ વચ્ચે મારામારી થઈ હતી. વિવાદ એટલી હદે વકરી ગયો
હતો કે, સીઆરપીએફે આંસૂ ગેસના ગોળા છોડવા પડ્યા હતા. આ અથડામણમાં 37 લોકો
ઘાયલ થયા હતા.
ગેસના સિલિન્ડર બન્યા બોમ્બ
શુક્રવારે એક સ્થાનિકે શ્રદ્ધાળુની છેડતી કરી હતી. એક ઘોડાવાળો તેનો બચાવ કરવા લાગ્યો હતો. શ્રદ્ધાળુઓ સાથે થયેલી બોલાચાલીમાં તે ઘાયલ થઈ ગયો હતો. આથી ડઝનબંધ સ્થાનિકો તેના સમર્થનમાં બેઝ કેમ્પે આવી ગયા હતા અને તેમણે લંગરવાળાઓ પર હુમલો કરી દીધો હતો અને ટેન્ટ્સ પર પથ્થરમારો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી.
No comments:
Post a Comment