Saturday, July 19, 2014

વડોદરાઃ અઠવાડિયા પહેલા આનંદીબેનના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા બ્રિજનો હિસ્સો ધસી પડ્યો

શહેરમાં શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે, તેમજ જનજીવન પ્રભાવિત થયું છે. દરમિયાન ભારે વરસાદને કારણે ગત સપ્તાહે શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવેલા અને 13  રૂપિયાના ખર્ચે નવર્નિમાણ પામેલા માંજલપુર-કલાલી બ્રિજનો કેટલોક હિસ્સો વરસાદને કારણે ધસી પડતા તંત્ર દોડતું થયું છે. 
વડોદરાઃ અઠવાડિયા પહેલા આનંદીબેનના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા બ્રિજનો હિસ્સો ધસી પડ્યો 
વડોદરામાં બ્રિજનો હિસ્સો તૂટી પડ્યાની જાણ થતાં આ મામલે તપાસ કરવા માટે ગાંધીનગરથી માર્ગ અને મકાનની ડિઝાઇન વિભાગની ટીમ તપાસ કરવા દોડી આવી છે.

No comments:

Post a Comment