26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સાથે
પાકિસ્તાન જઈને મુલાકાત કરનારા વરિષ્ઠ પત્રકાર વેબ પ્રતાપ વૈદિકની
સામે વારાણસીમાં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક વકીલે
સીજેએમ કોર્ટમાં ધારા 124 હેઠળ આ કેસ દાખલ કરાવ્યો હતો. બીજી બાજુ, વૈદિકની
આતંકવાદી સઈદ સાથેની મુલાકાત સંદર્ભે પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈકમિશને
સરકારને રિપોર્ટ આપી દીધો છે.
NIA કરી શકે છે વૈદિકની પૂછપરછ
દરમિયાન મળી રહેલા અહેવાલો પ્રમાણે મુંબઈ પર થયેલા 26/11ના આતંકવાદી
હુમલાની તપાસ કરી રહેલી ભારતીય સંસ્થા નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી વરિષ્ઠ
પત્રકાર વેદ પ્રતાપ વૈદિકની પૂછપરછ કરી શકે છે.
No comments:
Post a Comment