દેશની સર્વોચ્ચ અદાલતે શરિયત કોર્ટો અને ફતવાઓ અંગે શકવર્તી ચુકાદો
આપ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, નિર્દોષ લોકો સામે ફતવા કાઢવા એ
ગેરકાયદેસર છે અને કોઈપણ ધર્મ આ પ્રકારની સજાઓને માન્યતા આપતો નથી. ફતવાઓને
માનવા જરૂરી નથી.
દારૂલ-ઉલૂમ દેવબંધની દલીલ
દારૂલ ઉલૂમ દેવબંધના વકીલ શકિલ અહેમદ સૈયદે કહ્યું હતું કે, શરિયતની અદાલતોને કાયદાકીય કોર્ટોની મદદ કરે છે અને તેનું ભારણ ઓછું કરવા પ્રયાસ કરે છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તર્ક આપ્યો હતોકે, જો કોઈ ફતવો કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનો ભંગ કરતો હોય તો તેને સ્વીકારી ન શકાય. તત્કાલીન યુપીએ સરકારે પણ આ જ મત વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે, જ્યાં સુધી કોઈના મૂળભૂત અધિકારોનો ભંગ ન થતો હોય, ત્યાં સુધી દખલ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
No comments:
Post a Comment