શિવસેનાના 11 સાંસદો પર એક વ્યક્તિનાં રોજા તોડાવવાનો અને ધાર્મિક
ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ
થયેલા રિપોર્ટ મુજબ, દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં મહારાષ્ટ્રિયન ભોજન ન
પીરસવાથી ગુસ્સે થયેલા સાંસદોએ કેટરિંગ સુપરવાઇઝરને રોજા હોવા છતાં
બળજબરીથી રોટલી ખવડાવી હતી.
આ ઘટનાના થોડા સમય બાદ જ કેટરિંગ સંભાળતી એજન્સી આઈઆરટીસી (IRCTC)એ તેમનો
વિરોધ નોંધાવતાં કામ કરવાનું બંધ કરી દીધું. આઈઆરટીસીના કર્મચારીઓએ
મહારાષ્ટ્રના રેસિડન્ટ કમિશ્નરને આ અંગે ફરિયાદ પણ કરી. આ ઘટના 17 જુલાઈની
છે. Read More..
No comments:
Post a Comment