Wednesday, July 23, 2014

શિવસેનાના સાંસદોએ બળજબરીથી રોજો તોડાવ્યો, ભારે વિવાદ

શિવસેનાના 11 સાંસદો પર એક વ્યક્તિનાં રોજા તોડાવવાનો અને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ મુજબ, દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં મહારાષ્ટ્રિયન ભોજન ન પીરસવાથી ગુસ્સે થયેલા સાંસદોએ કેટરિંગ સુપરવાઇઝરને રોજા હોવા છતાં બળજબરીથી રોટલી ખવડાવી હતી.
શિવસેનાના સાંસદોએ બળજબરીથી રોજો તોડાવ્યો, ભારે વિવાદ 
આ ઘટનાના થોડા સમય બાદ જ કેટરિંગ સંભાળતી એજન્સી આઈઆરટીસી (IRCTC)એ તેમનો વિરોધ નોંધાવતાં કામ કરવાનું બંધ કરી દીધું. આઈઆરટીસીના કર્મચારીઓએ મહારાષ્ટ્રના રેસિડન્ટ કમિશ્નરને આ અંગે ફરિયાદ પણ કરી. આ ઘટના 17 જુલાઈની છે. Read More..

No comments:

Post a Comment