Thursday, July 17, 2014

કોંગ્રેસ સામે સરકાર, સૌરભ પટેલ સામે કોંગ્રેસ ઝૂકી, મંત્રીનો વટ જળવાઈ રહ્યો

રાજ્ય વિધાનસભામાં ગઇકાલે બુધવારે નાણામંત્રી સૌરભ પટેલ અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચેના વિવાદ બાદ કોંગ્રેસે નાણામંત્રી પટેલ માફી માગે અને અસહકારની ચળવળની જાહેરાત કરી હતી. આટલું ઓછું હોય તેમ કોંગ્રેસે બુધવારે મોડીરાત્રે રાજ્યભરમાં નાણામંત્રી સૌરભ પટેલ અને પાણી પુરવઠા મંત્રી બાબુ બોખીરિયાતના પૂતળા દહનના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
http://www.divyabhaskar.co.in/article/MGUJ-GAN-congress-stop-protest-against-saurabh-patel-4683635-PHO.html 
આજે ગૃહની શરૂઆતમાં જ અધ્યક્ષ વજુભાઇ વાળાએ તમામ સભ્યોને ઠપકો આપીને વાંધાજનક અને બિનસંસદીય શબ્દો રેકોર્ડ પરથી દૂર કરવાની જાહેરાત કરી હતી. આ પછી એકાએક કોઇ અગાઉથી જ આયોજન હોય તેમ કોંગ્રેસે ઠંડું વલણ અપનાવતા રાજ્ય સરકારે કોંગ્રેસના બે ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાની દરખાસ્ત રજૂ કરી હતી.  

No comments:

Post a Comment