સામાન્ય પણે માણસની ચામડી એટલી સંવેદનશીલ હોય છે કે તેને કોઈપણ અણીદાર કે
ધારદાર વસ્તુ અડવાથી લોહી નિકળવા લાગે છે. પરંતુ ઈન્ડોનેશિયાના બાલિમાં એક
સદી જુની પરંપરાનું આજે પણ હિન્દુ લોકો એટલીજ ધાર્મિક ભાવનાથી પાલન કરી
રહ્યા છે. આ પરંપરામાં બાલિ ટાપુ નજીકના કેસીમાન ગામના રહેવાસીઓ સફેદ
ચમકદાર વસ્ત્રોમાં સજ્જ થઈને રસ્તા પર સરઘસ કાઢે છે અને તેઓ ધાર્મિક કટારને
પોતાના શરિરમાં ઉતારી દેતા હોય છે. આ પરંપરામાં સૌને અચરજ પમાડે તેવી વાત એ
છે કે લોકો પોતાના ગળામાં તેમજ છાતિમાં આ ધાર્મિક કટારની અણી ભોંકાવી દેતા
હોવા છતા તેમના શરીરમાંથી સહેજ પણ લોહી નિકળતું નથી.
No comments:
Post a Comment