ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ન હોવાનું રટણ પ્રદેશનેતાઓ કરી રહ્યા છે, પરંતુ
આણંદ જિલ્લા કોંગ્રેસે મંગળવારે યોજેલા સ્નેહમિલન કાર્યક્રમે આંતરિક ખટરાગ
અને પક્ષાપક્ષીને ખુલ્લો પાડી દીધો છે. સ્નેહમિલન કાર્યક્રમ માટે આણંદ
જિલ્લા કોંગ્રેસે છપાવેલી આમંત્રણ પત્રિકામાં માત્ર શંકરસિંહ વાઘેલા અને
દિનશા પટેલનાં નામ જ મૂકવામાં આવ્યાં છે જ્યારે પ્રદેશપ્રમુખ સહિતના
અગ્રણી નેતાઓની બાદબાકી કરાઈ છે. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ
હોવાની વ્યાપક ફરિયાદ રાહુલ ગાંધીને પણ ગુજરાત મુલાકાત દરમિયાન કરવામાં આવી
હતી
No comments:
Post a Comment