Tuesday, November 26, 2013

૯૯એ આઉટ થનાર કોહલી ભારતનો પાંચમો બેટ્સમેન

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે દરમિયાન નર્વસ નાઇન્ટીનો શિકાર બનીને ૯૯એ આઉટ થઇને વિરાટ કોહલી એક રન માટે સદી ચૂકી ગયો હતો અને આ રીતે વન-ડેમાં ૯૯એ આઉટ થનાર તે ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો છે.

કોહલીને જ્યારે પોતાની કારકિર્દીની ૧૮મી તથા વિશાખાપટ્ટનમ ખાતે સતત ત્રીજી સદી માટે એક રનની જરૂર હતી ત્યારે તે રામપોલની બોલિંગમાં ફાઇન લેગ પર કેચઆઉટ થયો હતો. આ રીતે તે ૯૯એ આઉટ થનારા વિશ્વના બેટ્સમેનોની યાદીમાં ૨૧મા ક્રમાંકે અંકિત થઇ ગયો છે.

No comments:

Post a Comment