શહેરના મોરબી રોડ પર રહેતા મુસ્લિમ અને દલિત
જૂથ વચ્ચે ચાલતી તકરારે મંગળવારે ફરી ભડકો કર્યો હતો. કુખ્યાત ગુલિયો ખાટકી
અને તેના સાગરીતો ગણેશનગર અને રોહીદાસપરામાં ઘાતક હથિયારો સાથે ફરી વળ્યા
હતા. અને એક પછી એક એમ કુલ નવ વાહનોમાં તોડફોડ કરતા નાસભાગ મચી ગઇ હતી.
માથાભારે શખ્સના આતંકથી ભયનું લખલખું પ્રસરી ગયું હતું. અને રોષે ભરાયેલા
લોકો પોલીસ મથકે દોડી જતાં પોલીસના ધાડા ઘટના સ્થળે ઉતારી દેવાયા હતા.
No comments:
Post a Comment