Saturday, November 23, 2013

સ્વામિનારાયણ ભગવાનની માફી માગી કરી હત્યા, આત્માની શાંતિ માટે કરી શાંતિધૂન

શાહીબાગના શાહી કુટીર બંગ્લોઝમાં રહેતાં અને આંગડિયા પેઢીના માલિકનાં માતા કમળાબહેન પટેલના અપહરણ બાદ હત્યા કેસનો ૧૨૭ દિવસ બાદ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યો છે. ખુદ પુત્રવધૂ દીપાલીએ તેના પિતા સોમાભાઈ પટેલ અને માતા અરુણાબહેન પટેલ, તેમના ભાડૂત દેવેન્દ્ર હેતકરની મદદથી સાસુ કમળાબહેનની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે પથારીવશ દીપાલીની ધરપકડ કરી નથી. કરોડોની સંપત્તિ હડપ કરવા અને દીકરીને સાસુના કકળાટથી આઝાદ કરવા પિતાએ કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખૂલ્યું છે. હત્યા બાદ મૃતદેહ સગેવગે કરવા ઉપયોગમાં લેવાયેલી કાર જપ્ત કરાઈ છે.
 

No comments:

Post a Comment