કચ્છના વિકાસ માટે સદ્ભાવના મિશન હેઠળ રૂ. ૨૧૬પ કરોડની માંડવીમાં તથા
ગુજરાતના બેરોજગાર યુવક-યુવતીઓને બેંકમાંથી લોન આપવામાં આવે તો મારી સરકાર
ગેરંટી આપશે એવી ભુજમાં જાહેરાત કરનારા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી
વિરુદ્ધ વિશ્વાસઘાતના આરોપો હેઠળ અનુક્રમે માંડવી અને ભુજ પોલીસ સ્ટેશનમાં
ફોજદારી ફરિયાદ કરવામાં આવી હોવા છતાં ગુનો દાખલ કરવામાં આવતો ન હોવાથી
ગુરુવારે તા. ૨૧/૧૧ના પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક સમક્ષ કચ્છ લડાયક
મંચના પ્રમુખ રમેશ જોશી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે.
No comments:
Post a Comment