Tuesday, November 19, 2013

મોદી પરિણીત છે, બળજબરીથી લગ્ન કરાયા હતા એવું કોઇ નિવેદન મેં કર્યુ નથી : સ્વામીએ ફેરવી તોળ્યું

જો બળજબરીથી મારા લગ્ન કરાશે તો પણ હું મારી પત્ની સાથે નહીં રહું' :
જનતા પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા સુબ્રમણ્યમ સ્વામીએ આજે નરેન્દ્ર મોદીના મેરિટલ સ્ટેટસ અંગે ખુલાસો કરતા તેઓ વિવાહિત હોવાની સ્પષ્ટતા કરી હતી, પરંતુ સાથે જ તેણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના લગ્ન પૂર્વના સમય અંગે સવાલ ઉઠાવ્યો હતો.જો કે હવે આ બાબતે ખુલસો કરતાં સ્વામીએ કહ્યું હતું કે મેં મોદીના વિવાહિત જીવન અંગે કોઇ જ નિવેદન કર્યુ નથી. જેના કારણે આ આખી બાબતે નવો જ વિવાદ સર્જાયો છે.
સ્વામીએ આજે ટ્વીટ કરી જણાવ્યું છે કે કેટલાક લોકોએ એવું ટ્વીટ કર્યુ છે કે મેં મોદીના વિવાહ બાબતે નિવેદન આપ્યાં છે. એ વાત સત્યથી વેગળી છે. મેં આવું કોઇ નિવેદન આગ્રામાં આપ્યું નથી.

આગરામાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસના પૂર્વ મંત્રી આરાધના પુજારી દ્વારા ઉઠાવાયેલા સવાલનો જવાબ આપ્યો હતો.

નરેન્દ્ર મોદીના ખાનગી જીવન ખાસ કરીને તેઓ પરિણીત છે કે અપરિણીત તેને લઈ વિરોધી પાર્ટીઓ દ્વારા અવાર-નવાર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે એક મહત્વનો ખુલાસો કરતા જણાવ્યુ કે, 'હા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિવાહિત છે, પરંતુ તેના માટે તેઓ રાજી ન હતા અને તેમણે પરિવારજનોને અગાઉથી જ જણાવી દીધું હતું કે જો બળજબરીથી મારા લગ્ન કરવામાં આવશે તો પણ હું મારી પત્ની સાથે નહીં રહુ
read more
http://www.divyabhaskar.co.in/article-ht/NAT-subramanian-swamy-admits-narendra-modi-married-attack-sonia-gandhi-4438968-PHO.html

No comments:

Post a Comment