Wednesday, November 13, 2013

મોદી મુકાશે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે મંગાવી 'ખૂની પંજા'ની સીડી

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની મુશ્કેલી વધી શકે છે.તેમણે છત્તિસગઢની જાહેરસભામાં કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન પંજાને ખૂની પંજો જણાવ્યો હતો. ચૂંટણી પંચે સ્વેચ્છાએ આ ઘટનાની નોંધ લીધી છે અને મોદીની એ સભાનો વીડિયો મંગાવ્યો છે. કોંગ્રેસે પણ આ મુદ્દે ફરિયાદ નોંધાવતા મામલો સંગીન બન્યો છે.
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સંદર્ભે એક ફરિયાદ મળી છે. મુખ્ય ચૂંટણી અધિકારી સંપત સમક્ષ આ ફરિયાદ નોંદાવવામાં આવી છે. ચૂંટણી પંચે નવીદિલ્હીમા આમ આદમી પાર્ટીને તાકિદ કરી છે કે પુરાણી દિલ્હી વિસ્તારમાં સભા કે રેલી કાઢતી વખતે દસથી વધારે વાહનોને સાથે ન રાખવા.
થોડા સમય અગાઉ ભાજપે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી. રાહુલ ગાંધીની 'આઈએસઆઈ' સંદર્ભની ટિપ્પણી અંગે આ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. રાહુલ ગાંધીએ તેમના જવાબમાં કહ્યું હતું કે, તેમણે આદર્શ આચાર સંહિતાનો ભંગ નથી કર્યો.
ઉલ્લેખનીય છેકે, ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જાય છે. આ સાથે જ ચૂંટણીનું મતદાન પૂર્ણ ન થાય ત્યાર સુધી કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર તેના હરીફ સામે સીધો જ આરોપ ન મુકી

No comments:

Post a Comment