Thursday, November 28, 2013

જાસૂસીકાંડઃ પ્રદિપ શર્મા મધુ કિશ્વર સામે માંડશે એક કરોડનો દાવો

ટવિટના મુદ્દે પ્રદીપ શર્મા બદનક્ષીનો કેસ કરવા અમદાવાદ કોર્ટમાં પહોંચ્યા
બે દિવસ પહેલાં જ મધુ કિશ્વરને અપાઇ માનહાનિની નોટિસ, હવે બદનક્ષીનો કેસ

જાસૂસીકાંડને લઇને ભલે નરેન્દ્ર મોદીએ પંચની રચના કરી હોય પણ હાલ તો આ વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ગઇકાલે કોંગ્રેસ નરેન્દ્ર મોદીનો વરઘોડો કાઢીને વિરોધ વ્યક્ત કર્યો ત્યાં આજે ફરી આજ મુદ્દાને લઇને પૂર્વ આઇએએસ અધિકારી પ્રદિપ શર્માએ સોશિયલ એક્ટીવિસ્ટ મધુ કિશ્વર વિરુધ્ધ બદનક્ષીનો દાવો કરવા નિર્ણય કર્યો હતો. આજે બપોરે તેઓ અમદાવાદ સ્થિત મિરઝાપુર કોર્ટમાં દાવો માંડવા પહોંચ્યા હતા, ત્યારે કોર્ટમાં પણ ઉત્તેજનાપૂર્ણ માહોલ સર્જાયો હતો.
આગળ વાંચોઃ કેમ પ્રદિપ શર્માએ મધુ કિશ્નર સામે મોરચો માંડયો છે

No comments:

Post a Comment